ઘોઘા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૦૯ એપ્રિલનાં રોજ પીથલપુર ગામે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ (આઠમો તબક્કો) ઘોઘા તાલુકાના પીથલપુર ગામે તા.૦૯/૦૪/૨૦૨૨ના રોજ સવારે ૦૯-૦૦ વાગે પ્રાથમિક શાળા, પીથલપુર ખાતે યોજાશે. આ સેવાસેતુમાં કાર્યક્રમમાં સારવદર, વાવડી, સાણોદર, નથુગઢ, ઓદરકા, પીથલપુર, તણસા અને લાકડીયા ગામનાં લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ વિનામૂલ્યે લાભ મેળવી શકશે તેમ મામલતદાર, ઘોઘાની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment